BANASKANTHAGUJARAT

દીઓદર તાલુકાના ફોરણા ખાતે શ્રી ગોગા મહારાજ ના મંદિરે ચંડી એવમ વિષ્ણુયાગ યજ્ઞ પરિપૂર્ણ..

દીઓદર તાલુકાના ફોરણા ખાતે શ્રી ગોગા મહારાજ ના મંદિરે ચંડી એવમ વિષ્ણુયાગ યજ્ઞ પરિપૂર્ણ..

દીઓદર તાલુકાના ફોરણા ખાતે શ્રી ગોગા મહારાજ ના મંદિરે ચંડી એવમ વિષ્ણુયાગ યજ્ઞ પરિપૂર્ણ..

દીઓદર તાલુકાના ફોરણા ખાતે ઓઢા રોડ ઉપર આવેલ સ્વ. શિવાબા પ્રજાપતિના ફાર્મ હાઉસ મા આવેલ શ્રીગોગા મહારાજના મંદિરે ગં.સ્વ.કલીબેન શીવાભાઈ પ્રજાપતિ જસાલિયા પરિવાર દ્વારા સંવત ૨૦૮૧ ના ચૈત્રવદ-૭ ને રવિવાર તા. ૨૦/૦૪/૨૦૨૫ ના રોજ સવારે યજ્ઞના આચાર્ય શાસ્ત્રી અશોકભાઈ વ્યાસ રાધેકૃષ્ણના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે પ્રજાપતિ લીલાબેન પ્રકાશભાઈ ના યજમાન પદે શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ એસ.પ્રજાપતિ કુંવારવા, ઉપપ્રમુખ રામશીભાઈ પ્રજાપતિ રવેલ,મંત્રી વાલાભાઈ એસ.પ્રજાપતિ રાજપુરની ઉપસ્થિતિમા ચંડી એવમ વિષ્ણુયાગ યજ્ઞ યોજાયો હતો.સાંજે ૪ કલાકે પુર્ણાહુતી બાદ આરતી ઉતારી પ્રસાદ આપવામાં આવ્યો હતો.આ પાવન અવસરે ભમરસિંહ વાઘેલા,વનરાજસિંહ વાઘેલા, સરપંચ નારણભાઈ ઠાકોર, મગનભાઈ પ્રજાપતિ કસલપુરા,વીરાભાઈ પ્રજાપતિ ઝાલમોર,ભાવાભાઈ પ્રજાપતિ રવેલ,રોહિતભાઈ સોની,શિક્ષક દશરથભાઈ પ્રજાપતિ નાથપુરા, શિક્ષક શૈલેષભાઈ પ્રજાપતિ ઈસરવા, ભરતભાઈ પ્રજાપતિ રાજપુર સહીત પધારનાર મહેમાનોએ બપોરે ભોજન પ્રસાદ લઈ યજ્ઞ એવમ શ્રી ગોગા મહારાજના દર્શન કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન નિવૃત ફોજી જયંતીભાઈ એસ. પ્રજાપતિ એ કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો 99795 21530

Back to top button
error: Content is protected !!