Navsari: ગાયને”રાષ્ટ્રીય માતા”જાહેર કરવા હિન્દુ આગેવાનો દ્વારા નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી ખાતે આંતરાષ્ટ્રિય હિન્દુ પરિષદ/રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા <span;>ભારતીય નસલની ગાય માતાના ગુજરાત રાજ્યની રાજ્યમાતા તરીકે તેમજ સમગ્ર ભારતમાં રાષ્ટ્રીયમાતા તરીકે દરજજો આપવા બાબતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગદળના નવસારી જિલ્લા અધ્યક્ષ રાકેશભાઈ શર્મા પાસેથી મળતી માહિતી મુજબ ગાય માતાને રાજ્યની માતા અને ભારતદેશમાં રાષ્ટ્રીયમાતા તરીકે દરજ્જો આપવાની વિનમ્ર માંગ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને આવેદનપત્ર પાઠવ્યું છે. ગુજરાત સરકારે ગૌવંશ હત્યા માટે કાયદો કડક બનાવેલ છે. છતાં કાયદાને ઘોળીને પી જનાર કસાઈઓને મોકલું મેદાન મળી ગયો હોય તેમ ગૌવંશની હેરફેર ચાલુ છે.જેના કારણે ગૌમાતાનું અસ્તીત્વ ખૂબ જોખમમાં છે. ગૌમાતાનું ભારત દેશના અર્થતંત્રમાં ખૂબ મોટી ભાગીદારી છે અને હિંદુ ધર્મમાં ગાયને માતા તરીકે પુજવામાં આવે છે. ગાય માતા ભારતીય સંસ્કૃતિનો હિસ્સો છે. વૈદિક કાળથી ગૌમાતાનું હિંદુ ધર્મના તમામ વેદ, શાસ્ત્રો અને પુરાણોમાં ખૂબ જ મહત્વ છે અને હિંદુ ધર્મના વેદશાસ્ત્રો પુરાણોના આધારે ગાય માતામાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ છે. અને ગૌમાતામાંથી ઉત્પન થતાં આહાર ચિકત્સિા માટે ઉપયોગમાં આવતા હોય છે. આયુર્વેદિક ચિકિત્સા
પધ્ધતિ, પંચગવ્ય, ઉપચાર પધ્ધતિ જેનાથી લોકોની ગંભીર બિમારીઓ દુર થાય છે. સરકાર ખેતી પધ્ધતિમાં ગાયમાતાનું ગોબર, ગૌમૂત્ર જે સાચા અર્થે ઓર્ગેનિક ખાતર કહેવામાં આવે છે. ફરજીયાત કરે જેથી ફળ તેમજ શાકભાજી તેમજ અન્ય ખાવા પીવાના આહાર રોગમુકત થાય અને ભારત દેશના નાગરીકો સ્વસ્થ રહે અને ભારત દેશ વિકસીત બને તે માટે ગાયને બચાવવી અત્યંત જરૂરી છે. એટલા માટે મહારાષ્ટ્ર સરકારે ગાયને મહારાષ્ટ્ર રાજ્ય માતા તરીકે જાહેર કરેલ છે.તો ગુજરાત સરકાર પણ ગૌમાતાને ગુજરાતમાં રાજ્યમાતા તરીકે જાહેર કરી કેન્દ્રમાં પણ ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા પ્રસ્તાવ મોકલાવે અને તાત્કાલિક ગાય માતા ને રાષ્ટ્રીય માતા જાહેર કરવા નવસારી જિલ્લાના સાધુસંતો, ગૌરક્ષકો, ગૌસેવકો, જીવદયા પ્રેમીઓની ઉગ્ર માંગ છે





