BANASKANTHAGUJARATPALANPUR
જગાણા પ્રા.શાળામાં બાળકોને તિથિ ભોજન અપાયું
26 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જગાણા પ્રા.શાળામાં બાળકોને તિથિ ભોજન અપાયું પાલનપુર તાલુકાની જગાણા પ્રાથમિકશાળા ખાતે સ્વ. નારાયણદાસ બેચરભાઇ પંચાલના સ્મરણાર્થ તેમના પુત્ર ભગવાનદાસ નારાયણદાસ પંચાલ અને તેમના ધર્મ પત્નિ વીમળાબેન છેલ્લા ત્રીસ વર્ષથી સરકારી શાળાના ધોરણ ૧ થી ૮ ના તમામ બાળકોને સ્વ.પિતાની યાદમાં આશરે સાતસો બાળકોને સ્વરૂચિ ભોજન આપવામાં આવ્યું હતું દિકરાએ સ્વ.પિતાની યાદ માં બાળકોને સ્વરૂચિ ભોજન આપી અને વિધાર્થીઓને શિક્ષણની બેગ આપી સાચી શ્રધ્ધાજલિ પાઠવી હતી આ તિથી ભોજનમાં રતીભાઇ લોહ,ભેમજીભાઇ ચૌધરી, કેસરભાઈ લોહ,ગણેશભાઇ ચૌધરી,દિલીપભાઇ કરેણ, અમરતભાઇ પંચાલ તેમજ શાળાના આચાર્ય અને સમગ્ર સ્ટાફ ખડેપગે હાજર રહ્યો હતો