BANASKANTHAPALANPUR

વડગામ તા. ગ્રા.પં. સામાન્ય અને પેટા ચૂંટણીમાં ભુખલા, જોઈતા , હમીરપુરા પંચાયત સમરસ જ્યારે આમદપુરા સરપંચ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા

12 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
વડગામ તા. ગ્રા.પં. સામાન્ય અને પેટા ચૂંટણીમાં ભુખલા, જોઈતા , હમીરપુરા પંચાયત સમરસ જ્યારે આમદપુરા સરપંચ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા.આગામી 22 જુન 2025, રવિવારે વડગામ તા. ની 20 ગ્રા.પં. સામાન્ય ચૂંટણી અને એક ગ્રા.પં. પેટા ચૂંટણી તથા 25, ગ્રા.પં. ની ખાલી પડેલ વોર્ડ સભ્યો ની પેટા ચૂંટણી યોજવા તા. 2,જી જૂન 2025 થી ઉમેદવારી ફોર્મ રજુ કરવા ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ઉમેદવારી ફોર્મ ભરવા ના અંતિમ દિવસે તા. 9-6-25, સોમવારે 77,સરપંચ ઉમેદવારો અને 266, વોર્ડ સભ્યોના ઉમેદવારો એ ઉમેદવારી ફોર્મ રજુ કર્યા હતાં. તારીખ 10/6/2025, મંગળવારે ઉમેદવારી ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી જ્યારે તારીખ 11-6-2025, બુધવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના દિવસે 16 સરપંચ ઉમેદવારો તથા વોડૅ 143 સભ્યો એ ચુંટણી જંગમાં ઝંપલાવ્યું છે.
જોઈતા, હમીરપુરા, ભુખલા ગ્રામ પંચાયત સમરસ જ્યારે આમદપુરા સરપંચ તથા કુલ 123 સભ્યો બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં હોવાનું મામલતદાર કચેરી ચુંટણી શાખા ના સુત્રોએ જણાવ્યું હતું. સામાન્ય ચૂંટણી માટે 105, સભ્યો જ્યારે પેટા ચૂંટણીમાં 18 સભ્યો બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં છે. વોર્ડ રચના થી નારાજ થઈ હસનપુર ગ્રામ પંચાયત ની સામાન્ય ચૂંટણી નું ગ્રામજનો એ બહિષ્કાર કર્યો છે.તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ

Back to top button
error: Content is protected !!