વરસાદથી છોટાઉદેપુર જિલ્લામાં ડાંગર અને સોયાબીન પાકને નુકસાન થયું છે. જિલ્લામાં કલેક્ટરશ્રી ગાર્ગી જૈન દ્વારા વરસાદથી નુકસાન થયેલ ખેતરની મુલાકાત લેવામાં આવી હતી. તેમણે ખેતરમાં ઉભા પાકને થયેલ નુકસાન અંગે ખેડૂતો સાથે સીધો સંવાદ કરી તેમની રજૂઆત સાંભળી હતી.નોંધનીય છે કે આ વર્ષે છોટાઉદેપુર જિલ્લામાં ૨૨૩૦૦ હેક્ટરમાં ડાંગર અને ૨૩૨૩ હેક્ટરમાં ખેડૂતો દ્વારા સોયાબીનનું વાવેતર કરવામાં આવ્યું છે મુલાકાત દરમિયાન જિલ્લા ખેતીવાડી અધિકારી બી.એસ. પંચાલ, મદદનીશ ખેતી નિરીક્ષક કુંજલ પટેલ, તલાટી, ગ્રામસેવક અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર તોસીફ ખત્રી
«
Prev
1
/
122
Next
»
કોમર્શિયલ ગેસના બાટલાના બુકિંગ બંધ, જેથી ઘણી ફેક્ટરીઓમાં તાળા મારવા જેવી સ્થિતિ આવી: ઈસુદાન ગઢવી
સેગવા ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની કેનાલની ફરી એક યુવાન ડૂબી જવાની ઘટના
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન, #MMC4WOMEN