AHAVADANGGUJARAT

ડાંગમાં ફોરેસ્ટ અધિકારીઓને જાનથી મારી નાખવાનાં પ્રકરણમાં સંડોવાયેલા 14 આરોપીઓને કોર્ટે નિર્દોષ ઠરાવ્યા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં લવચાલી ખાતે  ફોરેસ્ટ અધિકારીઓને જાનથી મારી નાખવાનાં પ્રકરણમાં સંડોવાયેલા 14 જેટલા આરોપીઓને આહવાની એડી.સેસન્સ કોર્ટએ નિર્દોષ ઠરાવ્યા….
પ્રાપ્ત વિગતો અનુસાર આહવા પો.સ્ટે ફસ્ટ ગુ.ર.ન.9/12 સેસન્સ કે.ન.27/14 ઈ. પી.કો ની કલમ 143,186,395,506(2)તેમજ ડેમેજ ટુ પબ્લિક પ્રોપટી એકટ 3 અને 7 મુજબનાં ગુનામાં ડાંગ જિલ્લાનાં એડવોકેટ હરેશભાઈ આર.ગાંગોડા  અને જ્યંતી એલ.ગાંગોડાએ ધારધાર રજુઆત કરતા આહવાની એડિશનલ સેસન્સ કોર્ટે 14 જેટલા આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો.સુબિર તાલુકાનાં લવચાલી ખાતે  2012નાં વર્ષમાં 40 થી 50 જેટલા વ્યક્તિઓએ ગેરકાયદેસર મંડળી બનાવી ફોરેસ્ટ અધિકારીઓનો ઘેરો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ત્યારે સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.જોકે બાર વર્ષ બાદ કોર્ટએ 14 આરોપીઓને નિર્દોષ ઠરાવ્યા છે.સુબિર તાલુકાના લવચાલી ખાતે ઈન્ચાર્જ આર.એફ.ઓ તથા જંગલખાતાનાં કર્મચારીઓ તા. 28/02/2012નાં રોજ ગુનામાં સંડોવાયેલ ટ્રેકટર,ટ્રેલર,ડંફર લવચાલી રેંજ ગુ.ર.ન.69/2011-12 ભારતીય વન અધિનિયમ 1927ની કલમ 26(1) મુજબનાં ગુનામાં વાહનો કબજે લીધેલ હતા.જે વાહનો તા.28-02-2024નાં રોજ શિવરામભાઈ બાબુભાઈ આલકુંડે તથા 40 થી 50 જેટલા આરોપીઓ સાથે ગેરકાયદેસર મંડળી બનાવી હાથમાં લાકડાના ડંડા  રાખી લવચાલી રેન્જના ઇન્ચાર્જ આર.એફ.ઓ તથા જંગલ ખાતાના કર્મચારીઓનો ઘેરો કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.તેમજ નકટીયાહનવત ચેકપોસ્ટ ઉપર મુકેલ બેરીયર(આડાશ)ને તોડી નાખી વાહનોની લૂંટ કરી શિવરામભાઈ બાબુભાઈ આલકુંડે તથા 40 થી 50 જેટલા વ્યક્તિઓ નાસી છૂટયા હતા. જે બાદ ભારતીય વન અધિનિયમ ૧૯૨૭ હેઠળ આહવા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.અને ત્યારબાદ આ કેસ આહવાનાં એડિશનલ સેશન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો.જે કેસ સેસન્સ કોર્ટ આહવામાં ચાલી જતા ડાંગ જિલ્લાનાં એડવોકેટ હરેશભાઇ આર.ગાંગોડા અને જ્યંતી એલ ગાંગોડાએ ધારધાર દલીલો કરતા તારીખ 07/03/2024નાં રોજ બીજા એડિશનલ સેશન્સ જજ આહવાનાં જજ રાહુલ પી.એસ.રાઘવએ તમામ 14 આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!