નવસારી જિલ્લા માહિતી કચેરી ખાતે”કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫”વહેલા તે પહેલાના ધોરણે મળશે…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*ધોરણ-૧૦ અને ૧૨ પછી ઉપલબ્ધ અભ્યાસક્રમો સહિત પ્રેરણાદાયી લેખો વિશેષાંકમાં મળશે*
નવસારી,તા.૧૩: વિદ્યાર્થીઓને કારકિર્દી અંગેની જાણકારી અને માર્ગદર્શન મળી રહે તે આશયથી પ્રતિવર્ષ પરંપરાની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા “કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫” પ્રકાશિત કરવામાં આવ્યો છે.
આ અંકમાં પ્રેરણાદાયી લેખો, ધો-૧૦ અને ૧૨ પછી ઉપલબ્ધ અભ્યાસક્રમો, કોલેજો, યુનિવર્સિટીઓ, કારકિર્દીના વિવિધ વિકલ્પો, રોજગારી-સ્વરોજગારીની તકો, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના વિવિધ અભ્યાસક્રમો, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને ન્યૂ મીડિયા ક્ષેત્રમાં તકો, અગત્યની વેબસાઈટ્સ સહિતનું માર્ગદર્શન સમાવિષ્ટ છે.
આ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક મેળવવા માટે નવસારી જિલ્લા માહિતી કચેરી, એ-૧૦૮, આકાશગંગા કોમ્પ્લેક્ષ, કબીલપોર, ગ્રીડ રોડ, નવસારી ખાતેથી રૂા.૨૦/-ની કિંમતે વહેલા તે પહેલાના ધોરણે મળી શકશે.



