MORBI:મોરબી પેટ્રોલ-ડીઝલની અફવા બાદ જોર પકડ્યું, પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો




MORBI:મોરબી પેટ્રોલ-ડીઝલની અફવા બાદ જોર પકડ્યું, પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો


શહેરમાં આજે પેટ્રોલ અને ડીઝલની તંગી સર્જાવાની આશંકા અને સોશિયલ મીડિયા પર વહેતી થયેલી વિવિધ અફવાઓને પગલે ભારે નાસભાગ જેવો માહોલ જોવા મળ્યો હતો. સાંજ પડતા જ શહેરના મુખ્ય માર્ગો પર આવેલા તમામ પેટ્રોલ પંપો પર વાહનચાલકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.છેલ્લા કેટલાક કલાકોથી સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા હતા કે આગામી દિવસોમાં હડતાલ અથવા સપ્લાયમાં વિક્ષેપને કારણે પેટ્રોલ-ડીઝલ મળવું મુશ્કેલ બનશે. આ વાત વાયુવેગે પ્રસરતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. તકેદારીના ભાગરૂપે લોકો પોતપોતાના વાહનોની ટાંકી ફૂલ કરાવવા માટે ઉતાવળા બન્યા હતા.પંપો પર ભારે ભીડ અને હાલાકી
: ગાઘી ચોક,રવાપર રોડપર કિલોમીટર લાંબી કતારો લાગી હતી

આ બાબતે નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના તમામ નાગરિકોને વિનંતી કરી છે કે સોશિયલ મીડિયામાં વહેતી થતી ખોટી માહિતી કે અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને આવી અફવાઓ ફેલાવવી પણ નહીં. તેમણે ભાર પૂર્વક જણાવ્યું કે, “રાજ્ય પાસે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, માટે જનતાએ સંગ્રહખોરી કે પેનિક કરવાની કોઈ જરૂર નથી.” ઈંધણના સપ્લાય અંગે વિગતો આપતા તેમણે ઉમેર્યું હતું કે, આજે બપોરે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ઈંધણ જથ્થાના મુદ્દે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. રાજ્યના તમામ પેટ્રોલ પંપ પર ઈંધણ નિયમિત રીતે મળી રહે તે માટે સતત રીવ્યુ લેવામાં આવી રહ્યા છે. જો ક્યાંય સપ્લાયમાં ટેકનિકલ કે અન્ય કોઈ ઇસ્યુ હશે તો તેની તાત્કાલિક નોંધ લઈને નિરાકરણ લાવવામાં આવશે.

હર્ષ સંઘવીએ જણાવ્યું કે, જો રાજ્યમાં ક્યાંય પણ ઈંધણની તંગી કે અફવા ફેલાવવાની જાણકારી મળે, તો તે મુદ્દે તત્કાલિક ધોરણે જરૂરી પગલાં લેવા માટે તંત્રને સજ્જ કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં ઈંધણની વ્યવસ્થા સુચારુ છે અને તંત્ર પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે.


