દાહોદ ના બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઇ

તા. ૨૫.૦૮.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ના બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઇ
બિરસા આદિવાસી સમાજ ભવન દાહોદની વાર્ષિક સાધારણ સભા આજરોજ ભવનના પ્રમુખ વી.એમ.પારગી (IPS) નિવૃત્ત ADGP ના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. મુખ્ય મહેમાનો તરીકે નિવૃત્ત મામલતદાર રૂપેશભાઇ ગરોડ, GST ડેપ્યુટી કમિશ્નર કુંજલતાબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા. સભાનું સંચાલન મંત્રી શ્રી સી.આર. સંગાડા (નિવૃત અધિક કલેક્ટર) દ્વારા કરવામાં આવ્યું હતું. સાધારણ સભામાં ભવનના કન્વીનર એફ.બી.વહોનિયા, અગ્રણી દિનેશભાઈ ભાભોર સહિત બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, બિરસા મેનેજમેંટ ટીમના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ચર્ચામાં ભાગ લીધો હતો. સાધારણ સભામાં બેઠકના એજન્ડા મુજબ ગત મિટીંગનું પ્રોસીંડીગ વાંચન તથા બહાલી આપવામાં આવી હતી. દાન/ફાળાની રકમ તથા ૨૦૨૪-૨૫ ની સભ્ય ફી અંગે ચર્ચા કરવામાં આવી હતી.સૂચિત ભીલ સમાજ પંચની રચનામાં ફળીયા પંચ, ગામ પંચ, બાર ગામ પંચ, તાલુકા પંચ, જિલ્લા પંચ, અને ત્રણે જિલ્લા દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાની સંયુક્ત ભીલ સમાજ પંચની રચના માટે રચાયેલી મુસદ્દા સમિતિની કામગીરી અને પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટના માળખામાં બેસ્ટ ઓફ લકના
સિદ્ધાંતની વ્યવસ્થા તેમ જ બંધારણની અનૂસુચિ સાથે જોડવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ત્રણે જિલ્લાના દરેક ગામમાં રહેતા લોકો, બહારગામ ખેતમજૂરી કરતા લોકો, શહેરોમાં બાંધકામ ક્ષેત્રે મજુરી કરતા લોકો, ધંધો રોજગાર કરતા લોકો, નોકરી કરતા લોકો,નિવૃત્ત લોકો, બેરોજગાર યુવાનોની સંખ્યા અંગે સર્વે હાથ ધરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રારંભમાં
દાહોદ અને ઝાલોદ તાલુકા માટે પ્રાયોગિક ધોરણે બહારગામ મજૂરીકામ કરતા / વૃદ્ધ /નોકરી કરતા/ નિવૃત/ વગેરે બાબતોનો સર્વે કરાવવા બાબતે નિર્ણય લેવાયો હતો. વાર્ષિક આવક જાવક ખર્ચના હિસાબો મંજૂર કરવામાં આવ્યા હતા. ભીલ સમુદાય લગ્ન બંધારણમાં જરૂરી સુધારા વધારા કરવા તથા તેના અમલીકરણ માટે પ્રચાર પ્રસાર ઝુંબેશ સતત ચાલુ રાખવા માટે નક્કી કરવામાં આવ્યું હતું.બિરસા મેનેજમેંટની જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવી હતી.અન્ય જાતિમાં થતાં લગ્નો અટકાવવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ૭૩ એ એ નિયંત્રિત સત્તા પ્રકારની જમીનોમાં ખેતીની વારસામાં મળેલી ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી જમીનો અંગે 



