DAHOD

સ્પર્શ”રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન અંતર્ગત રક્તપિત્ત ના દર્દીઓને ન્યુટ્રીશન કીટ આપવામાં આવી

તા.31.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

આજ રોજ જીલ્લા ક્ષય કેન્દ્ર દાહોદ ખાતે ગાયત્રી પરિવાર અને નિવૃત્ત લેપ્રસી કર્મચારી દવારા “સ્પર્શ”રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન અંતર્ગત રક્તપિત્ત ના દર્દીઓને ન્યુટ્રીશન કીટ આપવામાં આવી આ ન્યુટ્રીશન કીટ ની અંદર ખાંડ,ચા,હળદર, મરચું, ધાણા જીરું પાવડર, મસાલો, સાબુ ન્હાવાના ધોવાના, લોટ, ચોખા, તેલ ઉપરોકત વસ્તુ કીટ ની અંદર આપવામાં આવી જેથી દર્દીને સારું પોષણ મળી રહે આ કીટ કુલ 20 દર્દીઓ જે જૂના અને સાજા થયેલા અને વિકૃતિ ધરાવતા દર્દીઓ ને આપવામાં આવી, વધુમા જીલ્લા રક્તપિત્ત કચેરી અને આરોગ્ય વિભાગ વતી અલ્સર ની કીટ તેમજ માઇક્રો સેલયુલર રબર શૂસ,(MCR) શુસ આપવામાં આવ્યા અને રક્તપિત્ત ના દર્દીઓ એ ધ્યાનમાં રાખવા જેવી બાબત જેવી કે સુતા વખતે હાથ પગ ની ચકાસણી કરી લેવી, ગરમ વસ્તુઓ કાપડ અથવા સાણચી નો ઉપયોગ કરવો અને શિયાળા મા કોપરેલ તેલ હાથ પગ પર માલિશ કરવું આમ કાર્યક્રમ ની અંદર જીલ્લા રક્તપિત્ત અધિકાર ગાયત્રી પરિવાર નિવૃત્ત લેપ્રસી કર્મચારી દર્દીઓ અને કર્મચારીઓ હાજર રહ્યાં હતા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!