વાત્સલ્યમ્ સમાચાર
જુનેદ પટેલ-ફતેપુરા-ઝાલોદ
ઝાલોદ નગરમાં સોમવાર ના હાટ બજાર ખાતે પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત ૨૦૨૫ અભિયાન અંતર્ગત ટીબી રોગ વિશે રિક્ષા દ્વારા માઇક પ્રચાર પત્રિકા દ્રારા પ્રચાર પ્રસાર કરવામા આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડો.આર.ડી.પહાડીયા તથા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો.તુષાર ભાભોરના માર્ગદર્શનમા કરવામા આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા ટીબી સુપરવાઇઝર શ્રી અને એમ પી એચ ડબલ્યુ તથા આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને પત્રિકા વિતરણ દ્વારા ટીબી રોગ વિશે પ્રચાર-પ્રસાર કરી ને લોકો ને જન જાગૃત કર્યા હતા. આવો સૌ સાથે મળી ને ટીબીને હરાવીએ. “ટીબી હારેગા દેશ જીતેગા”