DAHOD

સરકારની યોજનાનો લાભ લઇ દાહોદની કાંકરીડુંગરી ગામના સપનાબેન સ્વનિર્ભર બન્યા

તા.28.02.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

સરકારની યોજનાનો લાભ લઇ દાહોદની કાંકરીડુંગરી ગામના સપનાબેન સ્વનિર્ભર બન્યા

પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત જે વિસ્તારોમાં માઈન્સ અંતર્ગત કામગીરી થઈ રહી છે એ વિસ્તારના લોકોના કલ્યાણ માટે નાગરિકોને આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે

આ યોજનાનો લાભ મળતા દાહોદ જિલ્લાના લીમખેડાના કાંકરીડુંગરી ગામના સપનાબેન પ્રતાપભાઈ ડાંગી સ્વનિર્ભર બન્યા છે અને મહિને રૂ. દસ હજારથી વધુની કમાણી કરે છે

સપનાબેને સરકારનો આ યોજનાનો લાભ આપવા બદલ ધન્યવાદ પાઠવ્યા છે અને તાલીમ તેમજ સીવણ મશીન નિઃશુલ્ક મળતા તેઓ પરિવારને મદદરુપ બની રહ્યા હોવાનું જણાવ્યું હતું સપનાબેને ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનના, સંજીવની ફાઉન્ડેશનના કંચનબેન શાસ્ત્રી પાસેથી આ યોજનાની માહિતી મળી હતી અને તેમણે આ યોજના અંતર્ગત તાલીમ મેળવી હતી અને સીવણ મશીન નિશુલ્ક મળ્યું હતું

તાલીમ બાદ તેમણે પોતાના ગામમાં સીવણ કામ થકી આવક મેળવવામાં સફળતા મેળવી હતી. તેઓ મહિને દસ હજાર કમાઈ લેતા તેમના પરિવારને આર્થિક ટેકો આપવામાં પણ સફળ બન્યા છે અને તેમના આત્મવિશ્વાસમાં પણ વધારો થયો છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!