AHAVADANGGUJARAT

Dang:જમ્મુ અને કાશ્મીરમાં હિન્દુ પ્રવાસીઓની હત્યાના વિરોધમાં ડાંગના વઘઈમાં હિન્દુ સમાજમાં આક્રોશ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં હિન્દુ પ્રવાસીઓની ધાર્મિક ઓળખ પૂછીને તેમની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવવાની ઘટનાના વિરોધમાં ડાંગ જિલ્લાના વઘઈ ખાતે હિન્દુ સમાજ દ્વારા ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વઘઈના મુખ્ય માર્ગ પર મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો એકત્ર થયા હતા અને આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.જમ્મુ અને કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામમાં આતંકવાદીઓએ હિન્દુ પ્રવાસીઓને તેમના ધાર્મિક નામ પૂછીને નિર્દયતાથી હત્યા કરી હતી.આ હૃદયદ્રાવક ઘટનાથી સમગ્ર દેશમાં આઘાત અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે., જેના પડઘા ડાંગ જિલ્લામાં પણ જોવા મળ્યા હતા.વઘઈમાં હિન્દુ સમાજના લોકોએ એકત્ર થઈને આ માનવતાને શર્મસાર કરનારી ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી હતી.દેખાવકારોએ આતંકવાદને ખતમ કરવાની માંગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.આ ઉપરાંત, હુમલામાં શહીદ થયેલા નિર્દોષ લોકોની આત્માને શાંતિ મળે અને તેમના પરિવારજનોને આ દુઃખની ઘડીમાં સહન કરવાની શક્તિ મળે તે માટે પાંચ મિનિટનું મૌન પાળીને પ્રાર્થના કરવામાં આવી હતી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે અને લોકોમાં આતંકવાદ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વઘઈમાં હિન્દુ સમાજ દ્વારા કરવામાં આવેલો આ વિરોધ પ્રદર્શન આ જ ભાવનાનું પ્રતિબિંબ હતુ..

Back to top button
error: Content is protected !!