22 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ થરાના સંયુક્ત ઉપક્રમે ગુજરાતી વિભાગ દ્વારા શ્રી ઉમાશંકર જોશીની ૧૨૩મી જન્મજયંતિ આયોજિત ‘ સર્વત્ર ઉમાશંકર જોશી ’ કાર્યક્રમ કોલેજના પ્રિ.ડૉ.દિનેશકુમાર એસ.ચારણના માર્ગદર્શન હેઠળ તારીખ ૨૧ લના રોજ ઉજવણી કરવામાં આવી હતી આચાર્ય દ્વારા ઉમાશંકર જોશીના જીવન ઝરમર ને વાગોળી તેમના સાહિત્ય સર્જન વિશે વિસ્તૃત માહિતીસભર વિદ્યાર્થીઓને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડેલ. પ્રો.લાલાભાઈ વણકરે ઉમાશંકર જોશીના જીવન સાહિત્ય વ્યક્તિત્વને ઘડનારા પરિબળો સાર્થક કરતું વ્યાખ્યાન આપેલ. ડૉ.મયંકભાઈ એમ.જોષીએ ઉમાશંકર જોશીના કાવ્યસંગ્રહો ઉજાગર કરી દષ્ટાંત સભર કાવ્યપંક્તિઓને રસપ્રદ રીતે રજૂ કરેલ.બી.એ.તથા એમ.એ.ના વિદ્યાર્થીઓમાં સુથાર દિલીપભાઈ ઠાકોર કિરણભાઈ,વાઘેલા કૃપાબાએ ઉમાશંકર જોશીના સાહિત્ય સર્જનને ઉજાગર કરેલ.આ સમગ્ર કાર્યક્રમનું સૂચારું સંચાલન પ્રા.જૈનાબેન શાહે કર્યું.આ અંગે નટવર.કે.પ્રજાપતિ એ જણાવ્યું હતું.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.