AHAVADANG

ડાંગ જિલ્લાનાં ભેંસકાતરી આશ્રમશાળામાંથી નાસી ગયેલ ધોરણ 8ની ત્રણ બાળકીઓને વઘઈ પોલીસની ટીમે શોધી કાઢી..

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક પૂજા યાદવ દ્વારા શરૂ કરવામાં આવેલ ઓપરેશન મિલાપને દિન પ્રતિદિન સફળતા મળી રહી છે.ડાંગ જિલ્લાનાં દરેક પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુમ/અપહરણ થયેલ વ્યક્તિઓને શોધી કાઢી તેઓનાં પરિવાર સાથે મિલાપ કરાવવાની સરાહનીય કામગીરી ડાંગ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.ગત તા.22/11/2025નાં રોજ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાનાં ભેંસકાતરી આશ્રમ શાળામાં રહી અભ્યાસ કરતી ધોરણ-8ની ત્રણ દીકરીઓ શાળાનાં સ્ટાફને જાણ કર્યા વગર જ વહેલી સવારે નીકળી ગઈ હતી.જેની શોધખોળ કરતા મળી આવી ન હતી.જેથી શાળા સંચાલકો દ્વારા વઘઇ પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.આ બનાવની જાણ થતા જ વઘઇ પોલીસ મથકનાં પી.આઈ.વી.કે.ગઢવી દ્વારા ગુમ થયેલ ત્રણેય દીકરીઓની શોધખોળ માટે અલગ-અલગ પોલીસ કર્મચારીઓની 10 જેટલી ટીમો બનાવી હતી.અહી વઘઇ પોલીસની ટીમ દ્વારા ટેક્નિકલ સોર્સ અને હ્યુમન સોર્સની મદદ મેળવતા આ ત્રણેય દીકરીઓ બુહારી ખાતે હોવાની ભાળ મળી હતી.જેથી વઘઇ પોલીસની ટીમ બુહારી ખાતે પોહચી હતી.અને આ ત્રણેય દીકરીઓને શોધી કાઢી તુરંત જ તેઓનું કાઉન્સિલીંગ કરી તેઓનાં વાલી વારસોને બોલાવી આ બાળકીઓને સોંપી દીધી હતી.વઘઇ પોલીસ મથકનાં પી.આઈ. વી. કે.ગઢવી તથા પી.એસ.આઈ.એચ.આર.મકવાણા સહિત પોલીસની ટીમે ગણતરીનાં કલાકોમાં જ ગુમ એટલે કે નાસી ગયેલ દીકરીઓને શોધી કાઢી ઓપરેશન મિલાપ અંતર્ગત પરિવારજનો સાથે મિલાપ કરાવતા પરિવારજનો સહીત શાળા સંચાલકોએ વઘઇ પોલીસનો આભાર વ્યક્ત કરી કામગીરીને બિરદાવી હતી..

Back to top button
error: Content is protected !!