
તા.ડેસર
પરમાર ચિરાગ.
મુદો: સાવલી ડેસર તાલુકાના ધારાસભ્ય શ્રી કેતનભાઇ ઈનામદાર દ્વારા હાલમાં થઈ રહેલ કમોસમી વરસાદના કારણે ખેડુતોના પાકોને નુકસાન થયેલ છે તેથી રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ને લેખિત પત્ર રજૂ કરીને તેમાં સાવલી ડેસર તાલુકાના ખેડૂત નાગરિકોને થયેલ નુકસાન નો તાત્કાલિક સર્વે કરીને યોગ્ય વળતર મળી રહે તે ઉપરાંત ધારાસભ્ય શ્રી એ રજૂઆતમાં જણાવ્યું હતું કે મોટાભાગના તાલુકાના ગામોમાં થયેલ નુકસાનના કારણે ડાંગર કપાસ તમાકુ મકાઈ શાકભાજી વગેરે અન્ય પાકોને ભારે નુકસાન થયું છે જેના કારણે ધારાસભ્યશ્રી એ યોગ્ય વળતર મળી શકે તે બાબતે પત્ર દ્વારા રજૂઆત કરી હતી જેમાં જિલ્લા ખેતીવાડી અધિકારીને તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું જેથી ખેડૂતોને નુકસાન અને વળતર મળી રહે તેમાં નુકસાનનું સર્વે તથા કર્મચારીઓની ટીમ મોકલી સમયસર સહાય મળે અને સચોટ સર્વેની કામગીરી થઈ શકે તે અંગે ખેડૂતોને જલ્દીથી જલ્દી સહાય મળી રહે.




