અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રિત બહેનોને પીરસાય છે ઓર્ગેનિક શાકભાજીનું ઉત્પાદન
ગુજરાત રાજ્યમાં લોકોને પ્રાકૃતિક ખેતી કરવા અને તે માટે પ્રેરિત કરવા રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાંથી પ્રેરણા મેળવી અરવલ્લી જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ દ્વારા બનાવવામાં આવ્યું છે કિચન ગાર્ડન…આમ કિચન ગાર્ડન બનાવી તેમાં કોઈપણ પ્રકાર રાસાયણિક કે દવાવાળા બિયારણોનો ઉપયોગ કર્યા વગર અનેક ફળ ફળાદીનું વાવેતર કરવામાં આવેલ છે. હાલ આશ્રિત બહેનો માટે સેન્ટરમાં વાવેતર કરવામાં આવેલ શાકભાજીમાંથી જ રસોઈ બનાવી પીરસવામાં આવે છે. આ ઉપરાંત આશ્રિત બહેનોને માટે મીની ગાર્ડન પણ બનાવવામાં આવેલ છે. જ્યાં સ્ટાફના કર્મચારી દ્વારા જરૂરિયાત વાળા બહેનોને ખુલ્લી જગ્યામાં વિહાર કરી શકે. આશ્રિતમાં આવનાર બહેનો, દીકરીઓ ને એકદમ ઘરજેવું જ નૈસર્ગિક વાતાવરણ પૂરું પાડવાનું ઉત્તમ કામ કેન્દ્ર કરે છે.
—-