ડેડીયાપાડા ના જેસીંગ વસાવાને આંતર્રાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ દક્ષિણ ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્તિ;
તાહિર મેમણ – ડેડીયાપાડા – 10/05/2025 – ડેડીયાપાડા – આંતર્રાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નવી દિલ્હી દ્વારા ડેડિયાપાડા ના જેસીંગભાઈ વસાવાને દક્ષિણ ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
ડેડિયાપાડા તાલુકાના નવાગામ નાં રહેવાસી જેસીંગભાઈ વસાવાને આંતર્રાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ,નવી દિલ્હીની સેન્ટ્રલ કમિટીના ચેરમેન સર્જનભાઈ વસાવા દ્વારા સાઉથ ગુજરાત ના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવી છે.
આ સાથે આજે તા.10,મે, 2025 ને શનિવારના રોજ આંતર્રાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નવી દિલ્હીનાં સેન્ટ્રલ કમિટીના ચેરમેન શ્રી સર્જનભાઈ વસાવા દ્વારા તેમના કાર્યાલય ખાતે તેમને આઇકાર્ડ અને પ્રમાણપત્ર તેમજ ઓથોરિટી લેટર આપીને સન્માન કરવામાં આવ્યું તેમજ તેમના દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ નવી જવાબદારી સ્વીકારતા શ્રી જેસિંગભાઈ વસાવાએ જણાવ્યું હતું કે તેઓ સંસ્થાના ઉદ્દેશ્યો અનુસાર માનવ અધિકારોનું રક્ષણ કરવા તેમજ જાગૃતિ લાવવા અને ન્યાય આપવા માટે સંપૂર્ણ નિષ્ઠા સાથે કામ કરશે.
આ નિમણૂકથી દક્ષિણ ગુજરાત વિસ્તારમાં માનવ અધિકારને લગતી કામગીરીને નવી દિશા અને બળ મળશે તેવી અપેક્ષા છે.