DEVBHOOMI DWARKAKHAMBHALIYA
“સ્વચ્છોત્સ્વ” અંતર્ગત ખંભાળિયા તાલુકાના વિવિધ ગામોમાં જાહેર સ્થળોની વિશેષ સફાઈ હાથ ધરવામાં આવી
માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા
ભારત સરકારશ્રી દ્વારા બીજી ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની શ્રદ્ધાંજલિ આપવા તેમજ આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૧ વર્ષની ઉજવણીનાં ભાગરૂપે “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” ને “સ્વચ્છોત્સ્વ” અંતર્ગત સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેનું અભિયાન યોજાઈ રહ્યું છે. દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ વિવિધ આયોજનો થકી “સ્વચ્છોત્સ્વ”ની ઉજવણી કરવામાં આવી રહી છે, જે ઉપક્રમે જાહેર સંસ્થાઓ અને સરકારી કચેરીઓમાં સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. ખંભાળિયા તાલુકાના આહીર સિંહણ તેમજ લાખાસર હાપા ગામે પંચાયત ઘર, શાળાઓ,આંગણવાડીઓ, પેટા કેન્દ્રોમાં સફાઈ કરવામાં આવી હતી.