ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ડો.બાબા સાહેબ આંબેડકરજી ની 133 મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરી શોભાયાત્રા કાઢવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ડો.બાબા સાહેબ આંબેડકરજી ની 133 મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરી શોભાયાત્રા કાઢવામાં આવી
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે તમામ સમાજના આગેવાનોને અને તમામ સમાજ ના લોકોને સાથે રાખીને ડો. બાબા સાહેબ આંબેડકરની 133 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી
અને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ધોકડવા આંબેડકર ભવનથી લઈ ધોકડવા મેન બજારમાં અને મેઈન રોડ ઉપર થઈ પાછા આંબેડકર ભવન સુધી ડિ.જે ના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી
જેમાં ધોકડવા ગામ તેમજ આજુબાજુમાં ગામડાઓના તમામ સમાજના લોકો જોડાયા હતા
જેમાં ગીર ગઢડા તાલુકા પંચાયતના પ્રમુખ. ગીર સોમનાથ જિલ્લા કારોબારી ચેરમેન. ગઢડા તાલુકા પંચાયત ઉપપ્રમુખ. અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા
અને ડો. બાબાસાહેબ આંબેડકરના ફોટાને ફુલહાર કરી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોટલ શ્રીનિવાસ અને હોટલ શ્યામ બંનેએ શોભાયાત્રામાં જોડાયેલા લોકોને ઠંડા પીણા ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી
આ સમગ્ર કાર્યક્રમમાં ગીર ગઢડા પોલિસ સ્ટાફે પણ ખડે પગે રહી પૂરી નિષ્ઠા સાથે ફરજ બજાવી હતી