BHUJGUJARATKUTCH

ભુજના શ્રીજીનગરમાં અન અધિકૃત દબાણે નિર્દોષ લાખેણી ભેંસનો ભોગ લીધુ. 

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.

ભુજ ,તા-30 એપ્રિલ  :  શહેરમાં વ્યાપક પ્રમાણમાં બિનઅધિકૃત દબાણોએ માઝા મૂકી છે. માણસોના પોતાના અંગત સ્વાર્થનો ભોગ ઘણી વાર નિર્દોષ પશુઓ બનતા હોય છે. આવી જ એક ઘટના ભુજના અરિહંતનગર પાસેના શ્રીજીનગરમાં બની હતી. જેમાં ભુજના વાલદાસ નગરમાં રહેતા શિક્ષક અગ્રણી હરિસિંહ લાધુજી જાડેજા ( ઝુરા) ની ગાભણી ભેંસ શ્રીજીનગરમાં બનેલા બિન અધિકૃત મકાનોની વચ્ચેથી પસાર થતાં બે મકાનોની દીવાલો વચ્ચે ફસાઈ ગઈ હતી, ઘણા પ્રયત્નો કરવા છતાં તે નીકળી શકી ન હતી અને મોતને ભેટી હતી. બીજા દિવસે નગરપાલિકાના જે.સી. બી. મશીનથી દિવાલ તોડી મૃત ભેંસને બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનાથી જીવદયા પ્રેમીઓમાં ખૂબ અરેરાટી વ્યાપી ગઇ હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!