GUJARATKUTCHMANDAVI

દિવ્યાંગ મતદારો અને વરિષ્ઠ નાગરિકોને મતદાન સમયે પ્રાથમિકતા અપાશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-માંડવી કચ્છ.

માંડવી ,તા-05 મે  : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ તા.૧૬/૦૩/૨૦૨૪ થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલી છે અને કચ્છ જિલ્લામાં તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૦૬/૦૬/૨૦૨૪ સુધી ચાલશે. આગામી લોકસભા સામાન્ય ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ભારતના ચૂંટણી પંચ તરફથી સૂચનાઓ આપવામાં આવેલી છે.જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમિત અરોરાએ કચ્છ–ભુજ, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪થી સમગ્ર કચ્છ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે મતદાનના દિવસે મતદાન મથકોએ મતદારોએ અનુસરવાના હુકમો કર્યા છે. મતદારો મતદાન મથકના અધિકૃત પ્રવેશદ્વાર પર એક જ કતારમાં એક પછી એક ઉભા રહેશે અને જે મતદાન મથકમાં મહિલા મતદારો માટે અલગ કતાર હોય તો તેઓ તે મુજબ અલગ અલગ કતારમાં ઉભા રહેશે. મતદારો એક પછી એક એમ વારા-ફરતી મત આપવા મતદાન મથકમાં જશે અને એક પુરૂષ મતદાર પછી બે સ્ત્રી મતદાર મત આપવા મતદાન મથકમાં જશે. દિવ્યાંગ મતદારો અને વરિષ્ઠ નાગરીકો (સિનીયર સિટીઝન)ને મતદાન માટે પ્રાથમિકતા આપવાની રહેશે. પોતાનો મત આપ્યા પછી મતદાર તુરંત જ મતદાન મથકનો વિસ્તાર છોડી ચાલ્યા જશે.આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કે કોઈ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા આવા કોઈ વ્યક્તિ દ્વારા આ નિયમોનો ભંગ કરવામાં આવશે તો ભારતીય ફોજદારી ધારાની કલમ – ૧૮૮ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે. ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ-૧૯૫ની આદેશાત્મક જોગવાઈઓ ધ્યાને લઈ આ જાહેરનામાનો ભંગ બદલ ભારતીય ફોજદારી ધારાની કલમ -૧૮૮ અન્વયે આ જાહેરનામા હેઠળ તપાસ કરવાના, જાહેરનામાના પાલન કરવાના, અને તપાસના અંતે ચાર્જશીટ રજૂ કરવાના અધિકાર જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરના કર્મચારીઓને રહેશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!