MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જલારામ મંદિર ખાતે વાલગીરીબાપુના સ્મરણાર્થે વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે

MORBI:મોરબી જલારામ મંદિર ખાતે વાલગીરીબાપુના સ્મરણાર્થે વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે

 

 

મોરબીના જલારામ મંદિર સંસ્થા દ્વારા દર માસની ૪ તારીખે વિનામૂલ્યે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવે છે ત્યારે આગામી ૪ સપ્ટે.ના રોજ પૂજ્ય ગુરુદેવ વાલમગીરીબાપુ(ગુરુશ્રી મૂંડીયા સ્વામિ)ના સ્મરણાર્થે નિઃશુલ્ક નેત્રમણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.


મળતી માહિતી મુજબ શ્રીરણછોડદાસજી બાપુ ચેરીટેબલ આંખની હોસ્પીટલ-રાજકોટ તથા શ્રીજલારામ પ્રાર્થના મંદિર-મોરબી તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના શ્રીજલારામ પ્રાર્થના મંદિર અયોધ્યાપુરી રોડ મોરબી ખાતે યોજવામાં આવતો હોય છે જે અંતર્ગત તા.૪ સપ્ટે.૨૦૨૪ને બુધવારના રોજ સવારે ૯ થી ૧૨ દરમિયાન ગુરૂદેવ શ્રીવાલગીરીભાપુ (ગુરૂ શ્રી મુંડીયા સ્વામી)ના સ્મરણાર્થે (હ.નાથાભાઈ, દેવાભાઈ, ઘનશ્યામભાઈ)દ્વારા વિનામુલ્યે કેમ્પ યોજાશે. જેમા શ્રીરણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો.અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે.

આ ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે. દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજવામાં આવતો હોય છે. ત્યારે આ કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. તેવું સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૩૫ માસ દરમિયાન યોજાયેલ કેમ્પમા કુલ ૧૦,૬૯૭ લોકોએ લાભ લીધો હતો તેમજ ૪૮૨૨ લોકોના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.

Back to top button
error: Content is protected !!