GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના શામળદેવી ગામની પ્રા.શાળા ખાતે ધોરણ 8 ની 50 કિશોરીઓને નિઃશુલ્ક “સ્વછતા કીટ”નું વિતરણ.

 

તારીખ ૨૪/૦૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાની શામળદેવી ગામ ખાતે હેલ્પ એજ ઇન્ડિયા એન જી ઓ અને એસ એમ એફ જી ઈન્ડિયા ક્રેડિટ કંપની ના સી એસ આર ફંડ દ્વારા શામળદેવી પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ની પચાસેક કિશોરીઓને “સ્વછતા કીટ”નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ફાર્મશિસ્ટ મિત્તલ ડામોર,કાલોલ તાલુકા ભાજપા મહામંત્રી વિરેન્દ્રસિંહ પરમાર સાથે શામળદેવી ગામના સરપંચ મહેશભાઈ તથા શામળદેવી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય પારૂલબેન પટેલ સાથે શામળદેવી ગામની આશા વર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં કિશોરીઓને સ્વછતાના મહત્વ વિશે માહિતી આપવામાં આવી અને માસિક ધર્મને લગતાં વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય કિશોરીઓને સ્વછતાના મહત્વ વિશે જાગૃત કરવાનો અને તેમને માસિક ધર્મ દરમિયાન સ્વછતા જાળવવા માટે જરૂરી માહિતી અને સાધનો પૂરા પાડવાનો હતો. “સ્વછતા કીટ”માં સ્વછતા સંબંધિત વસ્તુઓનો વિતરણ કરી સાથે આ કાર્યક્રમમાં આરોગ્ય કર્મચારીઓ અને આશા વર્કર બહેનોએ કિશોરીઓને માસિક ધર્મ દરમિયાન સ્વછતા જાળવવાના મહત્વ વિશે માહિતી આપી હતી.

Back to top button
error: Content is protected !!