જૂનાગઢ જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ માણાવદર ખાતે ઉજવાશે,ઈન્ચાર્જ કલેકટર શ્રી તેજસ પરમારના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીના સુચારૂં આયોજન માટેની બેઠક યોજાઈ
જૂનાગઢ જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ માણાવદર ખાતે ઉજવાશે,ઈન્ચાર્જ કલેકટર શ્રી તેજસ પરમારના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીના સુચારૂં આયોજન માટેની બેઠક યોજાઈ
જૂનાગઢ સ્વતંત્રતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી આઈસ મીલ કંમ્પાઉન્ડ,મીતડી રોડ,માણાવદર ખાતે થશે. કાર્યક્રમના સુચારુ આયોજન માટે ઈન્ચાર્જ કલેકટર શ્રી તેજસ પરમારના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેકટરશ્રીના દિશાનિર્દેશ મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ અંગે પૂર્વ તૈયારીઓ શરુ કરવામાં આવી છે.કાર્યક્રમના સુચારૂ આયોજન માટે કલેકટરશ્રીએ વિવિધ વિભાગો પાસેથી માહિતી મેળવી હતી. તેમજ બેઠક વ્યવસ્થા, પ્રાથમિક સુવિધા, વીજ પુરવઠો, પાણી, સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા, પોલીસ પરેડ, સરકારી કચેરીઓ ખાતે રોશની કરવા, સાફસફાઈ, સ્થળ પર મેડિકલ અને ફાયર સેફ્ટી સહિતની તમામ કામગીરીની વિગતવાર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું સમગ્ર બેઠકનું સંચાલન જૂનાગઢ જિલ્લા અધિક નિવાસી કલેકટર સુશ્રી કે.બી.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.પી.પટેલ, પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા,ડીઆરડીએ નિયામકશ્રી જાડેજા ,વંથલી પ્રાંત અધિકારી શ્રી કનકસીંહ ગોહિલ, સહિતના સંબંધિત કચેરીઓના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ.