HALVAD:હળવદમાં અપહરણ તથા પોકશો કેશના આરોપીનો જામીન પર છુટકારો.

HALVAD:હળવદમાં અપહરણ તથા પોકશો કેશના આરોપીનો જામીન પર છુટકારો.
હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી નીખીલ રામલાલ ભીલ નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરી સગીરવયની હોવાનુ આરોપી નીખીલ રામલાલ ભીલ જાણતો હોવા છતાં લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદાથી લલચાવી ફોશલાવી ફરીયાદીના કાયદેસરના વાલિપણામાંથી અપહરણ કરી ભગાડી લઈ જઈ આરોપીએ ફરીયાદીની સગીર વયની દીકરી સાથે તેની મરજી વિરૂધ્ધ અવાર નવાર શરીર સંબંધ બાંધેલ તે બાબતનો ગુન્હો કર્યા હોવાની ફરિયાદના આધારે હળવદ પોલીસે બી.એન.એસ એકટની કલમ-૧૩૭(૨), ૬૪(૨) (ટ)(ણ),૮૭ તથા પોકસો એકટની કલમ-૪,૫(એલ),૬ મુજબનો ગુનો નોંધી આરોપી નીખીલ રામલાલ ભીલ ની ધરપકડ કરેલ હતી.
જેમા આરોપી નીખીલ રામલાલ ભીલ એ મોરબીના સીનીયર એડવોકેટશ્રી દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ. આરોપી તરફે એડવોકેટ મારફત ધારદાર કાયદાકીય દલીલ કરેલ અને નાદાર સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટ રજુ રાખેલ. બન્ને પક્ષકારોની દલીલના અંતે નામ. કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી અને નામદાર સુપ્રીમ કોર્ટ નુ જજમેન્ટ સંજયચંદ્ર વિ. સી.બી.આઈ ને ધ્યાને લઈ આરોપીને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ. આ કામમાં આરોપી તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટશ્રી સાવન ડી. મોઘરીયા, મોરબી જીલ્લાના પ્રખ્યાત સીનીયર ધારાશાસ્ત્રી શ્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, કુલદીપ ઝીઝુવાડીયા, રવી ચાવડા, આરતી પંચાસરા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા રોકાયેલા હતા.






