KALOL(Panchamahal)PANCHMAHAL

સાંદીપની ગુરુગૌરવ એવોર્ડથી બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય સતિષભાઈ પ્રજાપતિ નું ભાવપૂજન

 

તારીખ ૨૩/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ગુરુપૂર્ણિમા ની પૂર્વ સંધ્યાએ સાંદિપની આશ્રમ પોરબંદર દ્વારા દર વર્ષે જિલ્લા કક્ષાએ કરેલી ઉત્તમ કામગીરી માટે દરેક જિલ્લામાંથી એક શિક્ષકનું ગુરુગૌરવ એવોર્ડ દ્રારા ભાવપૂજન કરવામાં આવે છે.ચાલુ વર્ષે ભાવપૂજન માટેનો વિષય રાખવામાં આવ્યો છે શૈક્ષણિક રમકડાંનો શિક્ષણમાં ઉપયોગ રમકડા માત્ર મનોરંજન માટે નહીં પરંતુ બાળકના માનસિક, શારીરિક,સામાજિક અને સાંવેગીક વિકાસ માટેનું મહત્વનું સંસાધન છે. રાજ્યના ઘણા શિક્ષકો રમકડા નો ઉપયોગ કરી બાળકોને શિક્ષણ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે કેટલાક મિત્રો સુંદર રમકડા પણ બનાવે છે. આ વિષયના અનુસંધાને મારા શૈક્ષણિક રમકડા પંચમહાલ જિલ્લામાંથી આ ભાવપૂજન માટે પસંદગી થયા હતા.

આ કાર્યક્રમ બે દિવસ સાંદિપની આશ્રમ પોરબંદરમાં ઉજવવામાં આવ્યો હતો જેમાં પ્રથમ દિવસે શિક્ષક મિત્રોએ બનાવેલા રમકડાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું તમામ શિક્ષક મિત્રોનું પ્રદર્શન પરમ પૂજ્ય ભાઈશ્રી નિહાળી સૌને અભિનંદન પાઠ્વ્યા હતા. ત્યારબાદ ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ ગુજરાતના ૩૭ જેટલા શિક્ષકોનું ગૌરવ એવોર્ડ દ્વારા ભાવપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં પંચમહાલ જિલ્લામાંથી મારી પસંદગી થતા ખૂબ જ રાજીપો થયો હતો.વિશ્વવિખ્યાત ભાગવત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા( ભાઈશ્રી ) દ્વારા પ્રમાણપત્ર,સ્મૃતિચિન્હ અને પુસ્તકો દ્વારા તેમના કર કમળો થી મારો ભાવ પૂજન કરવામાં આવ્યું હતું. તેઓના જીવનનો આ અનેરો અવસર હોય આ સન્માન  નાના નાના બાળ દેવો તેમજ તેઓના સમગ્ર સાથી મિત્રોને અર્પણ કરતા કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય સતીષભાઈ પ્રજાપતિ એ લાગણી સાથે આનંદ અનુભવ્યો હતો.

 

Back to top button
error: Content is protected !!