GUJARATKUTCHMANDAVI

દિવ્યાંગ આશરાધામ દ્વારા જરૂરીયાતમંદ દિવ્યાંગ પરિવારોને રાશનકીટ આપવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા.૨૫ માર્ચ  :- માંડવી તાલુકાના મુન્દ્રા માંડવી હાઈવે પર આવેલા વિકલાંગ જીવન વિકાસ મંડળ સંચાલિત દિવ્યાંગ આશરાધામ નાની ખાખર ધ્વારા દાતાશ્રીઓ નાં સહયોગથી જરૂરીયાતમંદ વીસ દિવ્યાંગ પરિવારોને એક એક હજાર રૂપીયા ની રાશનકીટ નુ સંસ્થાનાં મંત્રીશ્રી હોથુજી પી જાડેજા અને ટ્રસ્ટીશ્રી નવલસિહ પી.જાડેજા નાં હસ્તે વિતરણ કરવામાં આવેલ. હરેશભાઈ છભાડીયા મોટા આસંબિયા તરફથી પંદર કીટ અને જયંતીલાલ શિરવી બિદડા તરફથી પાંચ કીટ નો સહયોગ મળેલ. દાતાશ્રીઓ નાં સંપર્ક ખુશાલભાઈ ગાલા એ કરેલ અને આ કાર્યક્ર્મ માં કૈલાશગીરી ગૌસ્વામી અને ગોવિંદભાઈ સિંધલ એ જહેમત ઉઠાવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!