વેજલપુર ઘૂસર રોડ ઉપર વરસાદી પાણીનો નિકાલ ન થતાં સ્કૂલના બાળકો સાથે રાહદારીઓને ભારે મુશ્કેલી

તારીખ ૩૦/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગામમા રેહમાનિયા મસ્જિદ પાસેથી પ્રસાર થતો ઘૂસર રોડ ઉપર વરસાદી પાણી નો નિકાલ માટે સાઈડ માં શોભના ગાંઠિયા સમાન ગટર લાઈન લઇને વરસાદી પાણી મોટા પ્રમાણ માં ભરાય છે અને વધુ વરસાદ પડે તો રોડ ઉપર જવા આવવા નો રસ્તો સંપૂર્ણ બંધ થઈ જાય છે કારણ કે વરસાદી પાણી નો યોગ્ય નિકાલ ન હોવા ના કારણે અને સાઈડમાં ગટર લાઈન હોવા છતાં વરસાદી પાણી નો યોગ્ય નિકાલ નથી જેના કારણે ખાડામાં વધુ વરસાદી પાણી ભરાય છે વરસાદી પાણીનો નિકાલ ન કરતા સ્કૂલના બાળકો અને રાહદારી ઓને રોજ રોજ તકલીફો નો સામનો કરવો પડે છે જેના અનેક વખત તો વખત ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તેમ છતાં તત્ર નું પેટનું પાણી હલતું નથી જેને લઇ સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહી છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા વેજલપુર ગામના રહીશો તેમજ આજુબાજુ ના ગામડા ના રહીશો અને બાળકો ની આ સમસ્યા દૂર કરી વહેલી તકે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી માંગ ઉઠી છે.





