એક મહિનાના કારણે અનેક બાળકોનું એક વર્ષ બગડશે, વાલી મંડળે સીએમને લખ્યો પત્ર
રાઈટ ટુ એજ્યુએશન – RTE અંતર્ગત ધોરણ-1માં બાળકોના પ્રવેશ અંગે 6 વર્ષની વય મર્યાદા અંગે મોટો પ્રશ્ન ઉભો થયો છે. ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા ધોરણ-1માં રાઈટ ટુ એજ્યુએશન (Right to Education) અંતર્ગત પ્રવેશને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે.
RTE અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ મેળવવા માટે બાળકના છ વર્ષ પૂરા થવા જરૂરી છે. જે નિયમ બાદ ઘણા વાલીઓને પોતાના બાળકોનું એક વર્ષ બગડવાની ચિંતા સતાવી રહી છે. કારણકે જો જો મહિનામાં બાળકની ઉમેર 5 વર્ષ 11 મહિના થયા હોય તો પણ RTEમાં ફોર્મ ભરી ન શકાય. જેથી ઓલ ગુજરાત વાલી મંડળ CMને પત્ર લખીને એક મહિનાની વધું છૂટછાટ આપવા માટેની માંગણી કરી છે.
30 ટકા બાળકો મે મહિનામાં જન્મેલા હોવાથી ધોરણ-1માં પ્રવેશ નહીં મેળવી શકે. એક મહિનાના કારણે બાળકો એડમિશનથી વંચિત ન રહે અને તેમનું એક વર્ષ બગડે નહિ તેથી ઍક મહિનો વધારવાની માંગ કરવમાં આવી છે, જેથી બાળકોને એડમિશન મળી શકે છે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.