GUJARATJAMKANDORNARAJKOT CITY / TALUKO

Rajkot: જામકંડોરણા તાલુકામાં ભારે વરસાદના લીધે ૨૫ લોકોને સલામતસ્થળે આશરો અપાયો

તા.૨૮/૮/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અતિભારે વરસાદની આપત્તિ દરમિયાન સંભવિત જોખમ સામે તકેદારીના પગલાં લઈ રહ્યું છે. ત્યારે તા. ૨૮ ઓગસ્ટના રોજ સવારે ૧૧.૩૦ કલાકની સ્થિતિ સુધીમાં જામકંડોરણા-ગોંડલ હાઇવે પર ફોફડ નદીના પુલ સામે આવેલા ખેતર પાસેથી ૨ બાળકો, ૧ મહિલા અને ૧ પુરુષ મળી કુલ ૪ નાગરિકોને ખેતરમાલિકના ઘરે સ્થળાંતર કરાયા હતા. તેમજ જામકંડોરણા તાલુકાના મોટા ભાદરા ગામના ૨ બાળકો, ૧ મહિલા અને ૧ પુરુષ મળી કુલ ૪ નાગરિકોને સગા-સંબંધીના ઘરે, મોટા દૂધીવદર ગામના ૧ મહિલા અને ૧ પુરુષ મળી કુલ ૨ નાગરિકોને ખેતરમાલિકના ઘરે અને જુના માત્રાવડ ગામના ૭ બાળકો, ૪ મહિલાઓ અને ૪ પુરુષો મળી કુલ ૪ નાગરિકોને નવા માત્રાવડ પ્રાથમિક શાળા ખાતે ખસેડાયા હતા. આમ, ભારે વરસાદના લીધે કુલ ૨૫ લોકોને સલામતસ્થળે આશરો અપાયો હતો, તેમ ધોરાજી પ્રાંત અધિકારીશ્રી જયેશભાઈ લીખીયાની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!