સોમનાથ મંદિર નજીક ગૌશાળા અને રામદેવપીર મંદિર ડેમોલેસન વિરોધ યથાવત

પ્રભાસ પાટણ સોમનાથ માં ગૌશાળા ડિમોલેશન હટાવવા બાબતે વહીવટી તંત્રની સ્થિતિ “સાપે છછુંદર ગળ્યા જેવી” બની છે. કારણ કે આગામી 21 22 અને 23 તારીખે ત્રણ દિવસ સોમનાથ માં યોજાનાર સરકાર ની ચિંતન શિબિર ની તળા માર તૈયારી ચાલે છે. તો બીજી તરફ ગૌશાળા અને રામદેવપીર મંદિર બાબતે કોળી સમાજ અને સોમાથ નાધારાસભ્યો ઉના ના પૂર્વ ધારાસભ્યો કોંગ્રેસ ના આગેવાનો વગેરે ગૌશાળા બાબતે લડી લેવાના મૂડમાં છે.વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા પ્રભાસ પાટણ માં આવેલ ગૌશાળા માંથી કેટલીક ગાયોને અન્યત્ર મહાજન પાંજરાપોળ માં શિફ્ટ કરાય હોય. અને આ ગૌશાળા નું ડિમોલેશન કરવાનું હોય તે બાબતે ગઈકાલે ગૌશાળા સંચાલકોને સૂચનાઓ અપાય હતી. ત્યારબાદ મામલો બગડતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો પુંજાભાઈ વંશ બાબુભાઈ વાજા તેમજ ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત અનેક કાર્યકરો આજે આંદોલન ની છાવણી માં પહોંચ્યા હતા. અને તેઓ એ જણાવ્યું હતું કે 1981 માં મોરારજી ભાઈ દેસાઈ સોમનાથ ટ્રસ્ટ માં હતા ત્યારે આ જગ્યા કોળી સમાજ ને આપવા નો ઠરાવ કરાયેલ હતો. જો સત્વરે ન્યાય નહીં મળે તો આજે અમે જુનાગઢ અને ગીર સોમનાથ ના આગેવાનો જ એકત્ર થયા છે. પરંતુ હવે રાજ્યભરના કોળી સમાજના આગેવા નો ને બોલાવી અને પ્રભાસ પાટણ માં સંમેલન કરીશું. અને ન્યાય માટે લડત કરીશું ગૌશાળા બાબતે આંદોલન છેડાયું છે ત્યારે સોમનાથ મંદીર નજીક આવેલ ગૌશાળા માં આજે કોળી સમાજ સહિત અન્ય સમાજના આગેવાનો પહોંચ્યા હતા અને ભારે માત્રા માં ભાઈ ઓ બહેનો પણ જોડાયા હતા અને રામધૂન શરૂ કરી અને ન્યાય મેળવવા માટે સૌ તંત્રને અનુરોધ કરી રહ્યા છે તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર પણ ચિંતિત બને તે સ્વાભાવિક છે.કારણ કે એક તરફ ગૌશાળા નો વીવાદ વકરી રહ્યો છે. અને બીજી તરફ આગામી તા.21 .22. અને 23 .ત્રણ દિવસની રાજ્ય સરકાર ની ચિંતન શિબિર પણ પ્રભાસ પાટણ સોમનાથ માં થવા જઈ રહી છે. ત્યારે તંત્ર એક તરફ તૈયારીમાં વ્યસ્ત છે. ત્યારે બીજા તરફ ગૌશાળા બાબતે વિવાદ પણ વધી રહ્યો છે
. વાત્સલ્ય સમાચાર રિપોર્ટર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ







