પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્ય/પેટા ચુંટણી મતગણતરીના દિવસ માટે જાહેરનામું પડયું

પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્ય/પેટા ચુંટણી
***
તા.૧૮ ફેબ્રુઆરીના હાથ ધરાનાર મતગણતરીના દિવસ માટે જાહેરનામું
***
૧૮ ફેબ્રુઆરીના રોજ મતગણતરી સ્થળે(ખંડ)માં ૧૦૦ મીટરની ત્રિજયા મર્યાદાની અંદર મોબાઈલ,સેલ્યુલર ફોન, પેજર, કોર્ડલેસ ફોન અને વાયરલેસ સેટ/વોકી-ટોકી, લેપટોપ કે અન્ય ઈલેકટ્રોનીકસ ઉપકરણ લઈ જવા ઉપર પ્રતિબંધ
***
પંચમહાલ, શુક્રવાર :: પંચમહાલ જિલ્લામાં રાજ્ય ચુંટણી આયોગ ધ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચુંટણીઓ અન્વયે જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ મુજબ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચુંટણીનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ યોજાનાર છે અને તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ મતગણતરી થનાર છે.
આ કામે મતગણતરીની પ્રક્રિયા તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ નિયત મતદાન સ્થળોએ હાથ ધરવામાં આવનાર છે. મતગણતરીના સ્થળે(ખંડ)માં મોબાઈલ, સેલ્યુલર ફોન, પેજર, કોર્ડલેસ ફોન અને વાયરલેસ સેટ/વોકી-ટોકી, લેપટોપ કે અન્ય ઈલેકટ્રોનીકસ ઉપકરણ ૧૦૦ મીટરની ત્રિજયા મર્યાદાની અંદર લઈ જવા ઉપર પ્રતિબંધ ફરમાવવા ચુંટણી પંચ દ્વારા જારી કરાયેલા સુચનાઓને અનુલક્ષીને પંચમહાલના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ડી.એમ.દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ કોઈપણ વ્યક્તિના તા.૧૮/૦૨/૨૦૨૫ના રોજ સવારના ૦૭-૦૦ કલાકથી ચુંટણી પરિણામો જાહેર થતાં સુધીના સમયગાળા માટે નિયત મત ગણતરી સ્થળે(ખંડ)માં લેપટોપ/કોમ્પ્યુટર/ મોબાઈલ ફોન કે અન્ય ઈલેકટ્રોનીકસ ઈન્સ્ટ્રુમેન્ટ ૧૦૦ મીટરની મર્યાદાની અંદર લઈ જવા તથા તેના ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર ઈસમ શિક્ષાને પાત્ર થશે.







