GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લામાં તાલુકાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ફેબ્રુઆરીએ યોજાશે

તા.૨/૩/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ જિલ્લામાં તાલુકાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ને બુધવારે મામલતદાર કચેરી ખાતે યોજાશે. જે અંગે પ્રશ્નો બે નકલમાં અરજદારોએ સંબંધકર્તા મામલતદારને તા. ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધીમાં મોકલવાના રહેશે.

આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગે કોર્ટમાં કેસ ચાલુ હોય તે બાબત, ન્યાયિક કે અર્ધન્યાયિક બાબતને લગતા પ્રશ્નો અને આ કાર્યક્રમમાં અગાઉ રજૂ થયેલા પ્રશ્નો ફરીથી રજૂ કરવાના રહેશે નહીં. તેમજ પ્રથમ વખત અરજી કરતા હોય તેવા પ્રશ્ન રજૂ કરવા નહીં, આ માટે એક અરજીમાં એક જ પ્રશ્ન મોકલી શકાશે. અરજીના મથાળે ‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ માટેની અરજી એમ લખવાનું રહેશે. અરજી બે નકલમાં જરૂરી પૂરાવા સાથે આપવાની રહેશે, તેમ જિલ્લા કલેક્ટર કચેરીની યાદીમાં જણાવાયું છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!