કપિલ ચૌહાણ અને ઠાકોર દાસ ખત્રી દ્વારા માનસિક બાળકોને મીઠાઈ અને ટી શર્ટ વિતરણ કરાઈ
11 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
દિવાળી પર્વ ચાલી રહ્યો છે ગણા લોકો ઉત્સાહી છે ગણા લોકો આર્થિક પરિસ્થિતિના કારણે નારાજ પણ હોઈ ત્યારે જરૂરિયાત મંદ પરિવાર પણ ઉત્સાહ પૂર્વક દિવાળી પર્વની ઉજવણી કરી શકે તથા તેમના ઘરમાં પણ દિવાળી જેવા તહેવારોમાં અજવાળું થાય તે હેતુથી ડૉ. એસ.કે મેવાડા લાયન્સ દિવ્યાંગ એજ્યુકેશન ટ્રેનિંગ સેન્ટર ( અંધજન મંડળ અમદાવાદ ) ના માનસિક બાળકોને જિલ્લા દિવ્યાંગ પ્રતિનિધિ કપિલ ચૌહાણના ગ્રુપ વતી તથા જીવદયા ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રી ઠાકોર દાસ ખત્રી દ્વારા માનસિક બાળકોને દિવાળી પર્વ નિમિતે મીઠાઈ તથા ગરમ ટી શર્ટ નું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે જિલ્લા દિવ્યાંગ પ્રતિનિધિ કપિલ કુમાર સેંધા ભાઈ ચૌહાણ ,જીવદયા ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રી ઠાકોર દાસ ખત્રી, વિશાલ રાવલ ( પત્રકાર) , સંસ્થાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. એહવાલ વિશાલ ભાઈ રાવલ બનાસકાંઠા પાલનપુર