GUJARAT

આયુષ્માન કાર્ડ ધારકો માટે ખુશખબર: રાજકોટની સદભાવના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં હવે પ્રસૂતિ અને સ્ત્રીરોગની કેશલેસ સારવાર ઉપલબ્ધ

13 જુલાઈ 2026
હર્ષલ ખંધેડિયા :- જામનગર

રાજકોટમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ લાભાર્થીઓ માટે સારા સમાચાર છે. રાજકોટ સ્થિત સદભાવના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે હવે આયુષ્માન કાર્ડ ધારકોને પ્રસૂતિ તેમજ સ્ત્રીરોગ સંબંધિત વિવિધ સારવાર સંપૂર્ણ કેશલેસ (મફત) ઉપલબ્ધ કરવામાં આવી છે…. હોસ્પિટલમાં અનુભવી નિષ્ણાત ડૉ. અનવર સિપાઈ (MD, Obs. & Gyn.) દ્વારા લેપ્રોસ્કોપિક સર્જરી, હાઈ-રિસ્ક પ્રેગ્નન્સી અને જટિલ સર્જરીની સારવાર આપવામાં આવે છે. તેમજ ડૉ. પૂજા વૈદ્ય (MBBS, DGO) દ્વારા પ્રસૂતિ અને સ્ત્રીરોગની વિશેષ સારવારની સેવા ઉપલબ્ધ છે….હોસ્પિટલ સંચાલન દ્વારા જણાવાયું છે કે PM-JAY યોજનાના નિયમો અને પાત્રતા મુજબ લાભાર્થીઓને ગુણવત્તાસભર સારવાર કેશલેસ આપવામાં આવશે. સારવાર માટે દર્દીએ આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ અને મોબાઇલ નંબર સાથે રાખવાના રહેશે…..માતા અને બહેનોના ઉત્તમ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી હોસ્પિટલ દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી છે, જેથી આર્થિક રીતે નબળા પરિવારોને ઉચ્ચ ગુણવત્તાની સારવાર સરળતાથી મળી રહે….વધુ માહિતી માટે સદભાવના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, ગાંધીગ્રામ, રામાપીર ચોકડી પાસે, રાજકોટ 95123 10108 , 78741 46421

Back to top button
error: Content is protected !!