GUJARAT

રાજપીપળાની એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે બ્લડ ડોનેશન સાથે એન.સી.સી. ડે ની ભવ્ય ઉજવણી

રાજપીપળાની એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે બ્લડ ડોનેશન સાથે એન.સી.સી. ડે ની ભવ્ય ઉજવણી

 

રાજપીપળા : જુનેદ ખત્રી

એન.સી.સી. યુવાઓનું સમગ્ર વિશ્વમાં મોટામાં મોટું સંગઠન છે. એન.સી.સી. ડે દર વર્ષે નવેમ્બર મહિનાનાં છેલ્લા રવિવારે ઉજવવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજપીપળા ની શ્રી એમ.આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના એન.સી.સી.કેડેટ્સ દ્વારા એન.સી.સી. ડે ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલી, જેમાં સો જેટલા એન.સી.સી. કૅડેટસે ઉત્સાહભેર ભાગ લીધો હતો. સૌ પ્રથમ કેડેટ્સ દ્વારા કોલેજ કેમ્પસ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ “ઇન્સાઇટસ ઇનટુ મિલિટરી લાઈફ એન્ડ વેલ્યૂઝ ” વિષય ઉપર કૅડેટસે ડ્રોઈંગ, નિબંધ અને ડિબેટ જેવી વિવિધ કોમ્પિટશન માં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ત્યારબાદ બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન કરવામાં આવેલું જેમાં એન.સી.સી. ઓફિસર કેપ્ટન રાહુલ ઠક્કર , થ્રિ ગુજરાત ઈન્ડિપેન્ડેન્ટ કંપની નાં સુબેદાર સંજય સિંઘ , સી.ટી.ઓ. વિજય પટેલ, કંપની નાં તમામ પી.આઈ. સ્ટાફ અને એમ.આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ અને સી.પી.ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એડયુકેશન નાં કૅડેટસે આ બ્લડ ડોનેશન કૅમ્પમાં ખુબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

એન.સી.સી.ઓફિસર કેપ્ટન રાહુલ ઠક્કરે માહિતી આપતા જણાવ્યું હતું કે એન.સી.સી. માં રેગ્યુલર પ્રવૃત્તિ ઉપરાંત સામાજિક સેવાઓની ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેથી કૅડેટસનો સર્વાંગી વિકાસ થઇ શકે અને કેડેટ્સ સમાજ પ્રત્યેની તેમની નૈતિક જવાબદારીઓથી અવગત થાય. આ પ્રસંગે કોલેજનાં આચાર્ય ડો. શૈલેન્દ્રસિંહ માંગરોલાએ વિદ્યાર્થીઓને તેમના ઉમદા કાર્યો બદલ બિરદાવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવી સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ માં અગ્રેસર રહી સમાજ સેવા અને દેશ સેવા કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

Back to top button
error: Content is protected !!