ચોટીલા શહેરમાં થાનગઢ ત્રણ રસ્તાથી જલારામ ત્રણ રસ્તા સુધીના રોડનું RCC કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારે વાહનો પર પ્રતિબંધ
તા.07/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ચોટીલા નગરપાલિકા દ્વારા ચોટીલા શહેરમાં થાનગઢ ત્રણ રસ્તાથી જલારામ ત્રણ રસ્તા સુધીના રસ્તાનું હાલમાં આર.સી.સી.નું કામ ચાલુ છે. આથી આ રોડનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારે વાહનોને પસાર થવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વિવિધ પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે, થાનગઢ ત્રણ રસ્તાથી જલારામ ત્રણ રસ્તા સુધીના રોડનું આર.સી.સી. કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ભારે વાહનોએ થાનગઢ ત્રણ રસ્તાથી કનૈયા હોટલ મામલતદાર કચેરીની બાજુમાંથી પસાર થવાનું રહેશે આ જાહેરનામનો ભંગ, ઉપેક્ષા કે અવરોધ કરનાર વિરોધ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!