વૈષ્ણવાચાર્ય અભિષેક લાલજી મહારાજના પાવન સાનિધ્યમાં કાલોલના આંગણે અલૌકીક માળા પહેરામણી મનોરથ યોજાયો

તારીખ ૧૫/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
નિકુંજનાયક શ્રી ગોવર્ધનધરણ પ્રભુ ના પરમ અનુગ્રહ થી એવમ પુ. પા. ગો. શ્રી અભિષેકલાલજી મહારાજ શ્રી ના પાવન સાનિધ્ય મા ગો. વા. જ્યોત્સનાબેન ધનશ્યામભાઈ મજમુદાર ની માળા પહેરામણી નો અલૌકીક મનોરથ અષાઢ સુદ ૮ તારીખ ૧૪/૦૭/૨૦૨૪ ને રવિવાર ના રોજ યોજાયો આ અલૌકીક મનોરથ નો લાભ લેવા મનોરથી પરીવારજનો અને કાલોલ ની સમસ્ત વૈષ્ણવ સૃષ્ટી ઉમટી પડી હતી.આ અલૌકીક અવસર પર શ્રી ગોવર્ધનનાથજી હવેલી મા શ્રી ઠાકોરજી ને પલના મનોરથ ના દર્શન સવારે ૧૦ કલાકે ત્યાર બાદ સમસ્ત મંડળના પાઠ બપોરે ૩ કલાકે ,માળા પહેરામણી સાજે ૫ કલાકે,પુ.જે જે શ્રી ના વચનામૃત સાજે ૬ કલાકે યોજાયા જેમા પૂજ્ય શ્રી એ પશ્ચિમી સંસ્કૃતિ નુ આંધળું અનુકરણ કરવા સામે ચિંતા વ્યક્ત કરી સનાતન ધર્મ અને સંસ્કૃતિ નુ પાલન કરવા ઉપર ભાર મુકયો ત્યાર બાદ ગુલાબ નિકુંજ મા શ્રી ઠાકોરજી ના ભવ્ય મનોરથ ના દર્શન સાંજે ૭ ૦૦ કલાકે થશે.ત્યાર બાદ કાલોલ ના સમસ્ત વૈષ્ણવ સમાજ માટે મહાપ્રસાદ ની ભવ્ય વ્યવસ્થા સાંજે ૭ ૩૦ કલાકે મંદિર ના પ્રયાગરાજ ચોક માં રાખેલ.






