GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
સાંસદ રાજપાલસિંહ જાદવ ની હાજરીમાં અડાદરા અને સગનપૂરા ખાતે ભાજપ દ્વારા નૂતન વર્ષ નો સ્નેહ મિલન સમારોહ યોજાયો.

તારીખ ૦૧/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
નૂતન વર્ષ નિમિત્તે નૂતન અભિગમ અને ભાવ સાથે અડાદરા ખાતે કરોલી જિલ્લા પંચાયત અને એરાલ જીલ્લા પંચાયત દ્વારા સગનપૂરા ખાતે સ્નેહ મિલન સમારોહમાં પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ તેમજ ધારાસભ્ય અને મંડળ પ્રમુખ મહિદિપસિંહ ગોહિલ માજી પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહીલ તથા જીલ્લા પંચાયત સભ્ય કૃષ્ણકાંત પરમાર તેમજ હાલોલ થી પધારેલા ગોપાલભાઈ શેઠ અને તાલુકા પંચાયત સદસ્ય સહિત આગેવાનનો અને પાર્ટીના કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી નવું વર્ષ સર્વેના જીવનમાં સુખાકારી, આરોગ્ય અને સમૃદ્ધિની સોનેરી સવાર લઈને આવે તેવી પ્રાર્થના કરીને આગામી સમયમાં સૌના સહયોગથી સાથે મળીને રાષ્ટ્ર કલ્યાણના કાર્યો કરીએ અને પક્ષના મૂલ્યો સાર્થક કરીએ તેવી શુભેચ્છા પાઠવી.






