GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમા યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી ના હસ્તે બ્લડ સ્ટોરેજ યુનિટ અને ઓકસીજન કોન્સનટેટર નુ ઉદઘાટન.

 

તારીખ ૨૯/૧૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલની એનએમજી હોસ્પીટલ ખાતે શનિવારે સાંજે યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પા. ગૌ ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદય ના હસ્તે બ્લડ સ્ટોરેજ યુનિટ અને ઓકસીજન લાઈન નુ ઉદઘાટન પ્રસંગે હોસ્પિટલ ના પટાંગણમાં પૂ.વ્રજરાજકુમારજી એ સેવા નુ મહત્વ સમજાવી જીવનમાં સત્કાર્ય સેવા અને સમર્પણ ભાવ નુ મહત્વ સમજાવ્યુ. કોઇ પણ વ્યવસાયમાં હોઈએ ત્યા પ્રમાણિકતા થી કામ કરીએ તે પણ એક સેવા છે. જીવનના ઉત્તરાર્ધમાં જીવન પરોપકારી બનાવી સમાજ માટે કામ કરવા અને મૌન રહેવા વણમાંગી સલાહ ન આપવા મસ્ત અને વ્યસ્ત રહેવા જણાવ્યુ તેમજ વીવાયઓ ની કામગીરી સમગ્ર વિશ્વમાં ૧૫ દેશોમાં વ્યાપી છે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન સાથે જોડાઈ તેની યું ટ્યુબ ચેનલ માધ્યમ થી સંકીર્તન નો લાભ સવાર સાંજ લેવાથી મનની અશાંતિ દૂર થાય છે નકારાત્મક પ્રભાવ દૂર થાય છે. આજ રોજ કાલોલ વીવાયઓ ની ટીમ ને શપથ ગ્રહણ કરાવી સમગ્ર ટીમને સેવા કાર્ય મા લાગી જવા જણાવ્યું હતું કાર્યક્રમ આગાઉ વીવાયઓ ના પ્રમુખ અને એનએમજી ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશ ગાંધી ના ઘરે ત્રણ મંડળના પાઠ રાખવામાં આવેલ અને ત્યાંથી બેન્ડ વાજા સાથે પૂ વ્રજરાજકુમાર મહોદય ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે હોસ્પિટલ ખાતે પહોંચી હતી ત્યા પ્રકાશભાઈ ગાંધી એ અને ટ્રસ્ટી દીપકભાઈ અવસ્થી એ સ્વાગત પ્રવચન કર્યું.વીવાયઓ પંચમહાલ પ્રભારી સુભાષચંદ્ર મહેતા સહ પ્રભારી સતિષભાઈ શાહ અને કમિટી સભ્યો મહિલા સભ્યો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગ્રામજનો હાજર રહ્યા હતા જેઓને મહોદય દ્વારા સપથ લેવડાવી હતી. ઓકસીજન લાઈન ના દાતા વીવાયઓ વડોદરા શાખા તથા ઇસ્કો ફાઉન્ડેશન ના મુળ કાલોલ ના ડેરોલ સ્ટેશનના વતની જયંતીભાઈ શાહ પરિવાર સાથે પધાર્યા હતા અને તેઓએ બ્લડ સ્ટોરેજ ના મુખ્ય દાતા તરીકે ઉદબોધન કર્યુ હતુ. કાર્યક્ર્મ બાદ સમસ્ત વૈષ્ણવ સમાજ માટે પ્રસાદીનું આયોજન કરાયુ હતુ.

Back to top button
error: Content is protected !!