GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના રેશનકાર્ડ ધારકો માટે E-KYC કરાવી લેવા સુચના

 

તારીખ ૨૧/૦૪/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

ઇ-કેવાસી વગર રેશનકાર્ડ સાથે જોડાયેલી યોજનાઓનો લાભ નહિ મળે.

સેવા સદન કાલોલ દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું છે કે કાલોલ તાલુકાના તમામ રેશનકાર્ડ ધારકોને ફરજીયાત E-KYC ૩૦ મી એપ્રિલ ૨૦૨૫ સુધીમાં મામલતદાર કચેરી કાલોલ,નજીકની પોસ્ટ ઓફિસ ખાતે, ગ્રામ પંચાયત કચેરી તેમજ વ્યાજબી ભાવની દુકાન પાસે PDS+ મારફતે તથા MY RATION એપ્લીકેશન દ્વારા અરજદાર પોતે પોતાના મોબાઈલ દ્વારા પોતાનું તથા ઘરના સભ્યોનું રેશનકાર્ડ E-KYC કરાવી લેવાનું રહેશે.૧ લી મે ૨૦૨૫ રેશનકાર્ડ ચાલુ રાખવા તેમજ રેશનકાર્ડ સાથે જોડાયેલી યોજનાઓનો લાભ મળી રહે તે માટે NFSA / NON-NFSA, એ.પી.એલ-૧,એ.પી.એલ-૨, બી.પી.એલ તથા અંત્યોદય રેશનકાર્ડ ધારકોને ઇ-કેવાયસી ૩૦મી એપ્રિલ-૨૦૨૫ સુધીમાં ફરજિયાત કરાવી લેવા જીલ્લા પુરવઠા અધિકારી પંચમહાલ ગોધરા તથા મામલતદાર કાલોલ દ્વારા જણાવેલ છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!