સમતા વિદ્યાવિહાર સંકુલ પાલનપુરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીકરવામાં આવી
23 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ સંચાલિત સમતા વિદ્યાવિહાર બાલમંદિર પાલનપુરમાં જન્માષ્ટમી પવૅની ઉજવણી કરવામાં આવી. સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતિ ચેતનાબેન જે મકવાણાના માર્ગદર્શન હેઠળ શ્રીમતી સુનીતાબેન અને શ્રીમતી પિન્કીબેન દ્વારા આજે બાલમંદિરના નાના ભૂલકાઓએ જન્માષ્ટમી પવૅને અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ મટકી ફોડ કાર્યક્રમ કરી આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પવૅની ઉજવણીનું આયોજન અને માગૅદશૅન પ્રાથમિક શાળાના આચાયૅ શ્રીમતિ ચેતનાબેન જે મકવાણા તથા બાલમંદિરના સમગ્ન સ્ટાફના સહકારથી ખુબ જ સરસ રીતે થયેલ. શાળાના બાળકો આ કાયૅક્રમ નિહાળીને પ્રોત્સાહીત થયા.બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુરના પ્રમુખ શ્રી બાબુભાઈ પી સોલંકી,મહામંત્રી શ્રી હરિભાઈ એન સોલંકી તથા મેનેજિંગ ટ્રસ્ટીશ્રી જે.સી.ઈલાસરીયાએ શાળાના આ કાર્યક્રમને બિરદાવવામાં આવ્યો હતો.