GUJARATJASDALRAJKOTRAJKOT CITY / TALUKO
Jasdan: સ્વચ્છોત્સવ-૨૦૨૫” : જસદણમાં સફાઈ અભિયાન અંગે લોકોને જાગૃત કરાયા
તા.૨૪/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jasdan: ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અને ‘સ્વચ્છોત્સવ” અભિયાનના ભાગરૂપે રાજ્યવ્યાપી સ્વ્ચ્છતાના કાર્યકમો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે રાજકોટ કલેકટર શ્રી ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શનમાં જિલ્લામાં ઠેર ઠેર સફાઈ કામગીરી તેમજ જનજગૃતિ કાર્યક્રમો હાથ ધરાયા છે. આ તકે જસદણ નગરપાલિકા દ્વારા જીલેશ્વર પાર્ક ખાતે સેલ્ફી પોઇન્ટ રાખી સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, જસદણ નગરપાલિકા દ્વારા ગતરોજ જસદણની મુખ્ય બજાર તેમજ કોમર્શિયલ વિસ્તારની સફાઇ કરવામાં આવી હતી. નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા પ્લાસ્ટિકની ખાલી બેગ, બોટલ સહીત કચરો એકત્રિત કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ જાહેર રસ્તાઓની સફાઈ કરવામાં આવી હતી.