GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ભાયાવદરનો રેલવે સ્ટેશન રોડ બન્યો ‘આઇકોનિક’

તા.૧૫/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ભાયાવદર નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત ૨.૦ યોજના હેઠળ એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. નગરપાલિકાએ રેલવે સ્ટેશન રોડથી ભાયાવદર નગરપાલિકા સુધીના માર્ગને ‘આઇકોનિક રોડ’ તરીકે વિકસાવ્યો છે.
આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ શહેરના આ મુખ્ય માર્ગને વધુ સુંદર, સ્વચ્છ અને સુવિધાજનક બનાવવાનો છે. નિર્મળ ગુજરાત ૨.૦ યોજના અંતર્ગત થયેલા આ વિકાસકાર્યોથી ભાયાવદરના માર્ગના સૌંદર્યમાં વધારો થશે અને નાગરિકોને પણ સુધારાનો અનુભવ થશે. આ આઇકોનિક રોડ શહેરની ઓળખમાં એક નવું પાસું ઉમેરશે.



