વિકાસલક્ષી કામોની ગુણવત્તા જળવાઈ તેની તકેદારી લેવા કલેકટરશ્રીની સૂચના
કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : કલેકટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે ઉકેલવા અને વિકાસલક્ષી કામોની ગુણવત્તા જળવાઈ તેની તકેદારી લેવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં ધારાસભ્ય સર્વ દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠીયા અને અરવિંદ લાડાણીએ ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે રોડ -રસ્તા દબાણ, વિકાસલક્ષી કામો સહિતના પ્રજાલક્ષી પ્રશ્નો રજૂ કર્યા હતા.
આ સંદર્ભે સંબંધિત અધિકારીઓએ જવાબ રજૂ કર્યા હતા. ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી કલેકટરશ્રીએ જુદા જુદા પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, નિવાસી અધિક કલેકટર પી. જી. પટેલ, ડીવાયએસપી હિતેશ ધાંધલીયા સહિત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિના સભ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.