
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૩ ઓક્ટોબર : સહકાર સેવા મંડળ ધ્વારા કચ્છ-મોરબી વિસ્તાર ના લોકલાડીલા સાંસદ સભ્ય તથા મહામંત્રી, ગુજરાત પ્રદેશ ભાજપ વિનોદભાઈ ચાવડા સાહેબનું તેમની સરાહનીય કામગીરી બદલ શાલ ઓઢાળી તેમજ સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવેલ સહકાર સેવા મંડળ ધ્વારા કચ્છ-મોરબી વિસ્તાર ના લોકલાડીલા સાંસદ સભ્ય તથા મહામંત્રી, ગુજરાત પ્રદેશ ભાજપ વિનોદભાઈ ચાવડા સાહેબનું તેમની સરાહનીય કામગીરી બદલ શાલ ઓઢાળી તેમજ સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવેલ વિનોદભાઈ ચાવડા સાહેબ ધ્વારા હરહંમેશ કચ્છના પ્રશ્નો અને વિકાસ લક્ષી કાર્યો ને ઉચ્ચકક્ષાએ વાંચા આપવામાં આવેલ છે. અને તે કામો કરાવી અને કચ્છની પ્રજાના આભારી બનેલ છે. તેમજ તેઓની લોકચાહના પણ જણાવે છે કે, કચ્છની પ્રજા છેલ્લા ત્રણ ટર્મ થી તેમને ચુંટતી આવે છે અને ગુજરાત રાજય કક્ષાએ પણ તેમને સ્થાન મળતા તે જણાઈ આવે છે કે, ભારતીય જનતા પાર્ટી માં પણ તેઓ ખુબ જ લોકચાહના મેળવી રહયા છે. તેમની સરાહનીય કામગીરી બદલ તેઓને શુભેચ્છા પાઠવવામાં આવેલ તેમજ ભવિષ્યમાં તેઓ ઉતરોતર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છા પાઠવવામાં આવેલ.આ સન્માન કાર્યક્રમમાં સહકાર સેવા ટ્રસ્ટ ના પ્રમુખ ઝહીર આઈ. સમેજા, ઉપપ્રમુખ માલશીભાઈ માતંગ તથા કચ્છ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ આમદભાઈ જત હાજર રહેલ હતા.તેવું સહકાર સેવા મંડળના માલશી માતંગ એ પોતાની યાદીમાં જણાવેલ.



