૨૬-જુલાઈ
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ખાવડા કચ્છ
ભુજ કચ્છ :- વન્યપ્રાણી રહેઠાણ સુધારણા હેઠળ કચ્છ રણ અભ્યારણ્યના કાળાડુંગરના દુર્ગમ પહાડોમાં વિચરતા ચિંકાર-હરણ, જંગલીભૂંડ, નીલગાય જેવા વિવિધ વન્યજીવોના જીવન નિર્વાહ માટે જરૂરી ખોરાક અને ઘાસચારા માટે નવતર પ્રયોગ રૂપે આધુનિક પધ્ધતિથી ડ્રોનનો ઉપયોગ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહયો છે. છાણીયું ખાતર, માટી-કાંપમાં કરમદા, લીયાર, ખીજડો, ગોરડ, તથા દેશી બાવળ જેવા વૃક્ષોની સ્થાનિક જાતોના સીડબોલ તૈયાર કરી તેમાં ધ્રામણ ઘાસનું બીજ નાખી તૈયાર કરવામાં આવે છે. જે કચ્છ રણ અભ્યારણ્યના કાળાડુંગર પહાડી અને દુર્ગમ વિસ્તારમાં ડ્રોન દ્વારા ૫૦ હેકટર વિસ્તારમાં ૫૦૦૦૦ જેટલા સીડબોલ તથા ગોરડ, દેશી બાવળ, લીયારનું બીજ નાખવામાં આવ્યું છે. જે વન્યજીવોના રહેઠાણ અને ખોરાક માટે આર્શીવાદ રૂપ બની રહેશે, એમ ભુજ ઉતર રેન્જના આર.એફ.ઓ. આર.ડી.ગઢવીએ જણાવ્યું હતું.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.