MAHISAGARSANTRAMPUR

મહિસાગર જિલ્લાના આદિવાસી એસટી જાતી ના લોકો દ્વારા એસપી કચેરીમાં જે તે સમયના કલેક્ટર નેહા કુમારી સામે ફરિયાદ દાખલ કરવા માટે લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી.

મહિસાગર જિલ્લાના જે તે સમયના કલેકટર નેહા કુમારી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે લુણાવાડા એસપી કચેરીમાં આદિવાસી અને એસટી સમાજના લોકો દ્વારા લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી.

 

અમીન કોઠારી મહીસાગર…

 

મહીસાગર જિલ્લા નાં જે તે સમયનાં કલેકટર નેહા કુમારી દ્વારા ગત તારીખ ૨૩/૧૦/૨૦૨૪ના રોજ જાહેર સરકારી સ્વાગત કાર્યક્રમ દરમિયાન આવેલ વિજયભાઈ નામના એક દલિત અરજદારને તુચ્છ ભાષામાં અપમાનિત કરી વ્યક્તિગત ટિપ્પણીઓ કરવામાં આવી હતી તથા દલિત આદિવાસી બ્લેકમેલ કરવા માટે એટ્રોસિટી મુજબની ફરિયાદ કરાવે છે અને એટ્રોસિટીની 90 ટકા ફરિયાદો બ્લેકમેલિંગ કરવા માટે કરે છે. તેવું નિવેદન આપવામાં આવેલ હતું. તેથી આ સ્વાગત કાર્યક્રમના અરજદાર,અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાની તથા અનયોએ લેખિત ફરિયાદ લુણાવાડા પોલીસ સ્ટેશન પર આપેલ. અને આ બાબતે જાહેર વિરોધમાં 6 ડિસેમ્બર બાબાસાહેબના નિર્વાણ દીને દલિત, આદિવાસી સમાજ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. છતાં પણ પોલીસે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી આજ દિન સુધી નહીં કરીને ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.

તેથી આજરોજ આદિવાસી સમાજ નાં આગેવાન બાબુભાઈ ડામોર નેમહીસાગર રાષ્ટ્રિય દલિત અધિકાર મંચ નાં જીલ્લા પ્રમુખ રસીકભાઇ કોયાભાઈ ( છગનભાઈ) ને એસ.સી.એસટી સમાજના આગેવાનો, મહીલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને લુણાવાડા SP કચેરીએ જ ઈને લેખિત અને મૌખિક રજૂઆત કરી અને માંગણી કરી કે નેહા કુમારી સામે કાયદેસરની કાર્યવાહી થાય.અને જો તેમ ના થાય તો અમે એક મહિના પછી જિલ્લા મથક ખાતે બંધારણના દાયરામાં રહી ધરણાં કરીશુ એવી ચિમકી ઉચ્ચારી છે.

Back to top button
error: Content is protected !!