GUJARATJUNAGADH

જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ

જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ

જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં ગ્રામ્ય આંતરિક પાણી પુરવઠા યોજનાના કુલ ૪૦ કામોની સમીક્ષા કરી સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં જૂનાગઢ જિલ્લાના વિવિધ ગામોના હયાત બોર ઉપર પંપિંગ મશીનરીની કામગીરી બાબતોના અંદાજો તથા જુદી જુદી તાલુકા પંચાયત કચેરી દ્વારા જુદા જુદા ગામોમાં ૧૫માં નાણાપંચ અંતર્ગત પીવીસી પાઇપલાઇનની કામગીરીના અંદાજો વિગતવાર તાંત્રિક મંજૂરી સહિત જિલ્લા પાણી સમિતિમાં સૈદ્ધાંતિક મંજૂરી અર્થે કુલ ૪૦ કામોની મંજૂરી આપવામાં આવી હતી.આ ઉપરાંત અગાવ મંજૂર થયેલ યોજનાઓની અંદાજિત રકમથી થયેલ વધારાના ખર્ચને રિવાઇઝ વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. તેમજ ડીઆરડીએ કચેરી હેઠળની SBM-G યોજના અંતર્ગત લિક્વિડ વેસ્ટ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી .આ ઉપરાંત શેગ્રીગેશન શેડની સામુહિક કમ્પોસ્ટ પીટ, કોમ્યુનિટી શોકપીટ ,વ્યક્તિગત શૌચાલય, વ્યક્તિગત શોકપીટ ,અને વ્યક્તિગત કમ્પોસ્ટ પીટ અંગેની સમીક્ષા પણ કરવામાં આવી હતી.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!